સૂર્ય
રોજ આપણને જીવન નામની ટપાલ પહોંચાડે છે. પર્વતો અસંખ્ય નદીઓ દ્વારા માતૃત્વ
પહોંચાડે છે અને પુષ્પો સુગંધ પહોંચાડે છે. પાંદડે પાંદડે પરમેશ્વરના હસ્તાક્ષરમાં
લખાયેલી ટપાલ માણસને પહોંચતી જ રહે છે. ભગવાનની ટપાલ વાંચવાની ફૂરસદ આપણી પાસે છે
ખરી ?
-ગુણવંત શાહ(‘ભગવાનની ટપાલ’માંથી)
No comments:
Post a Comment